સમાચાર

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે “સ્વચ્છ ભારત” અભિયાનની શરૂઆત કરી હતી, આ અભિયાન અંતર્ગત યાત્રાધામ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું, જે અંતર્ગત આજરોજ ભા. જ. પા. જલાલપોર તાલુકા, જિ. : નવસારી આયોજિત ‘સ્વચ્છતા અભિયાન’ માં ઐતિહાસિક ગામ દાંડી ખાતે દરિયા કિનારાની સફાઈ માટે કાર્યકર્તા સાથે જોડાયો… આજના આ સ્વચ્છતા અભિયાનમાં મોટી સંખ્યામાં સરપંચો, ગ્રામજનો અને કાર્યકર્તાઓએ ભાગ લીધો અને સૌએ સ્વચ્છતા માટે લોકોને જાગૃત કરવા સંકલ્પ લીધો. #ટીમ_જલાલપોર ને સફળ કાર્યક્રમ માટે અભિનંદન…

April 26, 2023

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે “સ્વચ્છ ભારત” અભિયાનની શરૂઆત કરી હતી, આ અભિયાન અંતર્ગત યાત્રાધામ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું,

શ્રી યોગેશભાઈ ચાપાનેરી પરિવારના નવા સાહસ NIEC (IELTS-TOEFL-PTE) કોચિંગ કલાસીસ નો શુભારંભ કરાવી શુભેચ્છાઓ પાઠવી…💐💐💐 શ્રી યોગેશભાઈ તથા પરિવાર તેમના નવા સાહસ થકી ઉતરો – ઉતર પ્રગતિ કરે એવી શુભકામનાઓ…💐💐💐

April 16, 2023

શ્રી યોગેશભાઈ ચાપાનેરી પરિવારના નવા સાહસ NIEC (IELTS-TOEFL-PTE) કોચિંગ કલાસીસ નો શુભારંભ કરાવી શુભેચ્છાઓ પાઠવી… શ્રી યોગેશભાઈ તથા પરિવાર તેમના

ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા દ્વારા “ બુથ સશક્તિકરણ અભિયાન” અંતગર્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર.પાટીલજી ની અધ્યક્ષતામાં આયોજીત બેઠકમાં ઉપસ્થિત રહ્યો… આ બેઠકમાં ગુજરાત સરકારના નાણાં – ઉર્જા તથા પેટ્રોકેમિકલ કેબીનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઇ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા, જિલ્લાના અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશના હોદેદારો, જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા સંગઠનના હોદેદારો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર.પાટીલજી દ્વારા લોકસભા – ૨૦૨૪ ની તૈયારી અંતર્ગત પ્રેઝેન્ટેશનના માધ્યમ થી માર્ગદર્શન આપ્યું હતું…

April 7, 2023

ભારતીય જનતા  પાર્ટી નવસારી જિલ્લા દ્વારા “ બુથ સશક્તિકરણ અભિયાન” અંતગર્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર.પાટીલજી ની અધ્યક્ષતામાં આયોજીત

ભારતીય જનતા પાર્ટીના ૪૩ મા સ્થાપના દિવસ પ્રસંગે આટ ગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને સન્માનિત કર્યા. દેશના પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વર્ચ્યુલી પ્રેરક સંબોધનને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત હોદ્દેદારો, સંગઠન હોદેદારો, સરપંચશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહી સાંભણ્યું હતું… હું પ્રત્યેક કાર્યકર્તાઓનો આભાર માનું છું અને સર્વને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવું છું… #BJPFoundationDay #BhartiyaJanataParty #BJPSthapnaDiwas

April 6, 2023

ભારતીય જનતા પાર્ટીના ૪૩ મા સ્થાપના દિવસ પ્રસંગે આટ ગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને સન્માનિત કર્યા. દેશના પ્રધાનમંત્રી

આજરોજ આટ ગામ ખાતે જિલ્લા પંચાયત નવસારી અને તાલુકા પંચાયત જલાલપોર દ્વારા આયોજીત તાલુકા પશુપાલન શિબિર કમ પ્રદર્શન તથા સ્વભંડોળ યોજના હેઠળ ખેડૂતો / પશુપાલાકોને કીટ વિતરણના કાર્યક્રમ યોજાયો જેમાં હાજર રહ્યો… આ પ્રસંગે નવસારી જિલ્લા ખેતીવાડી અધ્યક્ષ શ્રી પરિમલભાઈ, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઈ, ઉપપ્રમુખ શ્રી મિનેષભાઈ, દંડક શ્રી હિરેનભાઈ, જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી અનીતાબેન, શ્રી શંકરભાઈ, તાલુકા પંચાયત સભ્ય નિલમબેન, ક્રિષ્નાબેન, તૃપ્તિબેન, પ્રમોદભાઈ,મનીષભાઈ, જગુભાઈ, જલાલપોર મંડળ પ્રમુખ શ્રી વિજયભાઈ, અશોકભાઈ, આટ ગામના સરપંચ શ્રીમતી લક્ષ્મીબેન તેમજ જુદા જુદા ગામોના સરપંચશ્રીઓ, અધિકારીગણ, તેમજ ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા…

March 21, 2023

આજરોજ આટ ગામ ખાતે જિલ્લા પંચાયત નવસારી અને તાલુકા પંચાયત જલાલપોર દ્વારા આયોજીત તાલુકા પશુપાલન શિબિર કમ પ્રદર્શન તથા સ્વભંડોળ

૧૭૪ જલાલપોર વિધાનસભામાં સમાવિષ્ટ મરોલી કાંઠા વિભાગના ગામોના જનતાના કામો સરળતાથી પાર પાડી શકાય તેમજ પ્રજાજનોના લોકપ્રશ્નોના વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવી શકાય એ હેતુસર આજરોજ દીપલાગામ ખાતે જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું… આ પ્રસંગે જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઈ, જલાલપોર મંડળના કાર્યકારી પ્રમુખ શ્રી અશોકભાઇ, મહામંત્રી શ્રી દીપેશભાઈ, તા. પં સભ્યો ચેતનાબેન, મનીષાબેન, હેમલતાબેન, જગુભાઈ, પ્રમોદભાઈ, પરેશભાઈ, મીનેશભાઈ, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ શ્રી હિતેશભાઈ, આજુબાજુ વિસ્તારના ગામોના સરપંચશ્રીઓ, કાર્યક્રતાઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા…

February 5, 2023

૧૭૪ જલાલપોર વિધાનસભામાં સમાવિષ્ટ મરોલી કાંઠા વિભાગના ગામોના જનતાના કામો સરળતાથી પાર પાડી શકાય તેમજ પ્રજાજનોના લોકપ્રશ્નોના વહેલામાં વહેલી તકે