૧૭૪ જલાલપોર વિધાનસભામાં સમાવિષ્ટ મરોલી કાંઠા વિભાગના ગામોના જનતાના કામો સરળતાથી પાર પાડી શકાય તેમજ પ્રજાજનોના લોકપ્રશ્નોના વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવી શકાય એ હેતુસર આજરોજ દીપલાગામ ખાતે જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું…
આ પ્રસંગે જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઈ, જલાલપોર મંડળના કાર્યકારી પ્રમુખ શ્રી અશોકભાઇ, મહામંત્રી શ્રી દીપેશભાઈ, તા. પં સભ્યો ચેતનાબેન, મનીષાબેન, હેમલતાબેન, જગુભાઈ, પ્રમોદભાઈ, પરેશભાઈ, મીનેશભાઈ, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ શ્રી હિતેશભાઈ, આજુબાજુ વિસ્તારના ગામોના સરપંચશ્રીઓ, કાર્યક્રતાઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા…