સમાચાર

વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ 14 ઑગસ્ટ, 1947ના રોજ થયેલાં વિભાજનમાં હિંસાનો ભોગ બનનાર અને વિસ્થાપનનું દર્દ ભોગવનાર લોકોને શત શત નમન. દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 14મી ઓગસ્ટને “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” ઘોષિત કર્યો છે. જેના અનુસંધાને મટવાડ ગામે મૌન સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાજરી આપી.. સાથે સાથે મટવાડ ગામે શહિદ સ્મારક ખાતે ભારતને આઝાદી અપાવવા પોતાના પ્રાણની આહુતિ આપનાર વીર શહિદ સ્વતંત્રસેનાનીને નતમસ્તક શ્રદ્ધાંજલિ અર્પણ કરી… વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ પર બલિદાન આપનાર સૌ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું… #विभाजन_विभीषिका

August 14, 2022

વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ 14 ઑગસ્ટ, 1947ના રોજ થયેલાં વિભાજનમાં હિંસાનો ભોગ બનનાર અને વિસ્થાપનનું દર્દ ભોગવનાર લોકોને શત શત

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મહામંત્રી અને દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ શ્રી પ્રદીપસિંહ વાઘેલાજીની વિશેષ ઉપસ્થિતીમાં ૧૭૪ જલાલપોર વિધાનસભાની સમીક્ષા બેઠક શ્રી કમલમ કાર્યાલય નવસારી ખાતે મળી જેમાં ઉપસ્થિત રહ્યો… આ બેઠકમાં જિલ્લા અધ્યક્ષ શ્રી ભૂરાભાઈ શાહ, વિધાનસભા પ્રભારી શ્રી યશોધરભાઈ દેસાઇ, જિલ્લા સંગઠન પ્રભારીશ્રીઓ, જિલ્લા – તાલુકાના સંગઠન પદાધિકારીશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ શક્તિ કેન્દ્રના પ્રભારી – સંયોજક સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા… બેઠક દરમ્યાન સદસ્યતા અભિયાન અને “હર ઘર તિરંગા” અભિયાન વિષે વિગતવાર ચર્ચા વિચારણા કરી હતી…

August 5, 2022

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મહામંત્રી અને દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ શ્રી પ્રદીપસિંહ વાઘેલાજીની વિશેષ ઉપસ્થિતીમાં ૧૭૪ જલાલપોર વિધાનસભાની સમીક્ષા બેઠક

શ્રી નકુલભાઈ ધોકિયા પરિવાર અને શ્રી સતીષભાઈના નવા સાહસ માર્ટીનોઝ પીઝા શોપના શુભારંભ પ્રસંગે હાજરી આપી શુભેચ્છાઓ પાઠવી… તેઓ તેમના નવા સાહસ થકી ઉતરો – ઉતર પ્રગતિ કરે એવી શુભકામનાઓ…

August 5, 2022

શ્રી નકુલભાઈ ધોકિયા પરિવાર અને  શ્રી સતીષભાઈના નવા સાહસ માર્ટીનોઝ પીઝા શોપના શુભારંભ પ્રસંગે હાજરી આપી શુભેચ્છાઓ પાઠવી…   તેઓ

શ્રી વિરેનકુમાર જયંતીભાઈ પટેલ પરિવારના નવા સાહસ અંબેશ્વરી મોબાઈલ રીપેરીંગ સેન્ટરનો શુભારંભ કરાવી શુભેચ્છાઓ પાઠવી… પટેલ પરિવાર તેમના નવા સાહસ થકી ઉતરો – ઉતર પ્રગતિ કરે એવી શુભકામનાઓ…

August 5, 2022

શ્રી વિરેનકુમાર જયંતીભાઈ પટેલ પરિવારના નવા સાહસ  અંબેશ્વરી મોબાઈલ રીપેરીંગ સેન્ટરનો શુભારંભ કરાવી શુભેચ્છાઓ પાઠવી…   પટેલ પરિવાર તેમના નવા

૧૭૪ જલાલપોર વિધાનસભાની મહુવર જિલ્લા પંચાયત સીટની કાર્યકર્તા પરિચય બેઠક એન. આર.ભવન મહુવર ખાતે ગુજરાત પ્રદેશ ભા.જ.પા. દ્વારા નિયુકત ૧૭૪ જલાલપોર વિધાનસભાના પ્રભારી શ્રી યશોધરભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતમાં મળી… આ બેઠકમાં જિલ્લા પંચાયત સીટમાં આવતા જિલ્લા તેમજ તાલુકા સંગઠનના હોદેદારો,કારોબારી સભ્યો, બુથના વાલી, પ્રમુખ, બી.એલ.એ- ૨, ચુંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચશ્રીઓ, તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા… બેઠક દરમ્યાન સદસ્યતા અભિયાન અને “હર ઘર તિરંગા” અભિયાન વિષે વિગતવાર ચર્ચા વિચારણા કરી હતી…

August 4, 2022

૧૭૪ જલાલપોર વિધાનસભાની મહુવર  જિલ્લા પંચાયત સીટની કાર્યકર્તા પરિચય બેઠક એન. આર.ભવન મહુવર ખાતે ગુજરાત પ્રદેશ ભા.જ.પા. દ્વારા નિયુકત ૧૭૪