સમાચાર

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આયોજિત જન સંપર્ક અભિયાન અંતર્ગત સંપર્ક સે સમર્થન કાર્યક્રમ અન્વયે આજરોજ મરોલી કોળી સમાજ વાડી ખાતે લાભાર્થી સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિવિધ યોજના હેઠળ લાભ લેનાર સૌ લાભાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યાં… આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં #9YearsOfSeva ના આદર્શ સાથે થયેલા વિવિધ વિકાસકાર્યો અને યોજનાઓ ની ચર્ચા કરી સાથે એમના અનુભવોને પણ જાણ્યા… આ પ્રસંગે જલાલપોર તાલુકાના વિસ્તારક અને ગુજરાત પ્રદેશ એસ.ટી મોરચાના ઉપાધ્યક્ષ શ્રી વસંતભાઈ પરમારજી, જલાલપોર તાલુકાના પ્રમુખ રોશનીબેન, કારોબારી અધ્યક્ષ રણધીરભાઈ, ઉપપ્રમુખ મિનેષભાઈ, શાસક પક્ષ નેતા નિલેશભાઈ, સંગઠન પ્રમુખ અશોકભાઈ, યુવા મોરચાના પ્રમુખ હિતેશભાઈ, જિલ્લા પંચાયત સભ્ય અનિતાબેન, તાલુકા પંચાયત સભ્યો મનિશાબેન,ચેતનાબેન,પ્રમોદભાઈ, મીનેશભાઈ, તેમજ જુદા જુદા ગામના સરપંચશ્રીઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ હજાર રહ્યા હતા…. #SamparkSeSamarthan #JanSamparkAbhiyan

June 19, 2023

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આયોજિત જન સંપર્ક અભિયાન અંતર્ગત સંપર્ક સે સમર્થન કાર્યક્રમ અન્વયે આજરોજ મરોલી કોળી સમાજ વાડી

વિદ્યાર્થીઓના જીવનમાં વિદ્યાના શ્રીગણેશ એટલે “શાળા પ્રવેશોત્સવ” વિશ્વસ્તરીય શિક્ષણ મળે, ગુજરાતનું દરેક બાળક ભણે, ૨૦ વર્ષ શાળા પ્રવેશોત્સવ, ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની… ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં આયોજિત કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૩ અંતર્ગત જલાલપોર તાલુકાની ચીજગામ, પનાર અને કનેરા ગામની પ્રાથમિક શાળામાં નવા પ્રવેશ મેળવનાર બાળકોને શુભેચ્છા પાઠવી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ શાળાના તેજસ્વી તારલાઓને પણ સન્માનિત કર્યા… શાળાના પટાંગણમાં સ્મૃતિ વૃક્ષનું પણ રોપણ કર્યું હતું… #ShalaPraveshotsav2023

June 12, 2023

વિદ્યાર્થીઓના જીવનમાં વિદ્યાના શ્રીગણેશ એટલે “શાળા પ્રવેશોત્સવ” વિશ્વસ્તરીય શિક્ષણ મળે, ગુજરાતનું દરેક બાળક ભણે, ૨૦ વર્ષ શાળા પ્રવેશોત્સવ, ઉજવણી ઉજ્જવળ

આકસ્મિક દુર્ઘટનાઓના સંજોગોમાં પીડિતોને તાત્કાલિક CPR (કાર્ડિયોપલ્મોનરી રીસસીટેશન એ એક જીવ બચાવનારી ઇમરજન્સી પ્રક્રિયા છે) ની સારવાર મળી રહે તેમજ આ સંદર્ભે જનજાગૃતિ ફેલાય તે અર્થે ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિઓલોજિસ્ટ ગુજરાત રાજ્ય શાખા દ્વારા અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબ વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં રાજ્યભરમાં આયોજિત “કોલ્સ અવેરનેસ પ્રોગ્રામ”ના અન્વયે, આટ ગામે મેડિકલ કોલેજ ખાતે “પોલીસ વિભાગ માટે CPR તાલીમ” કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી, નિષ્ણાત ડોક્ટર દ્વારા આપવામાં આવેલી તાલીમની સમીક્ષા કરી, તથા CPR સંદર્ભે વધુમાં વધુ લોક-જાગૃતિ ફેલાય તે માટે સર્વેને આગ્રહ કર્યો…

June 11, 2023

આકસ્મિક દુર્ઘટનાઓના સંજોગોમાં પીડિતોને તાત્કાલિક CPR (કાર્ડિયોપલ્મોનરી રીસસીટેશન એ એક જીવ બચાવનારી ઇમરજન્સી પ્રક્રિયા છે) ની સારવાર મળી રહે તેમજ

ગુજરાત સરકારની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આજરોજ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમ થી નવસારી વિજલપોર નગરપાલિકાની વિજલપોર વિભાગીય કચેરી ખાતે સિટી સિવિક સેન્ટરનું (જનસુવિધા કેન્દ્રનું ) ઇ – લોકાપર્ણ કર્યું જેમાં ઉપસ્થિત રહી જાહેર જનતા માટે ખુલ્લુ મૂક્યું… સિટી સિવિક સેન્ટર ખાતે મિલકત વેરો, વ્યવસાય વેરો, ગુમાસ્તાધારા સહિત ૧૩ સુવિધાઓનો લાભ પ્રજાને એકજ સ્થળે થી ઉપલબ્ધ થઈ શકશે.. #civiccenter

June 10, 2023

ગુજરાત સરકારની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આજરોજ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમ થી

ગુજરાત પ્રદેશ ભા. જ. પા. અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજી તેમની નવસારી મુલાકાત દરમ્યાન દાંડી પ્રાર્થના મંદિર ખાતે પૂ. ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ત્યાંથી દાંડી ખાતે ‘સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ’ ની મુલાકાત લીધી હતી… એ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં #9YearsOfSeva ના આદર્શ સાથે થયેલા વિવિધ વિકાસકાર્યો ની ચર્ચા કરી સાથે તેમની આ મુલાકાત દરમિયાન નવસારી જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રે નવા સ્થળોના વિકાસ બાબતોની માહિતી મેળવી હતી…

June 9, 2023

ગુજરાત પ્રદેશ ભા. જ. પા. અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજી તેમની નવસારી મુલાકાત દરમ્યાન દાંડી પ્રાર્થના મંદિર ખાતે પૂ. ગાંધીજીની