સમાચાર

આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી – ૨૦૨૧ અંતર્ગત ભાજપા ગુજરાત પ્રદેશના આયોજન અને માર્ગદર્શન પ્રમાણે જલાલપોર તાલુકાના આટ તાલુકા પંચાયત શક્તિકેન્દ્ર ની ચૂંટણીલક્ષી સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહયો… શક્તિકેન્દ્ર ની ચૂંટણીલક્ષી સમીક્ષાની આ બેઠકમાં જિલ્લા ભાજપ દ્વારા નિયુકત જીલ્લા ઇન્ચાર્જ શ્રી રાકેશભાઇ દેસાઇ અને મંડળ ઇન્ચાર્જ શ્રી માધુભાઈ કથીરિયા, શ્રી સુરેશભાઈ મકવાણા, શ્રી વિજયભાઈ પટેલ, માજી જલાલપોર તાલુકા ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ પટેલ, જલાલપોર મંડળ સંગઠન પ્રમુખ શ્રી રણધીરભાઈ પટેલ તેમજ સંગઠન હોદેદારો, ચુંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો તેમજ આગેવાન કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા… આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપના દરેક ઉમેદવારને જવલંત વિજય અપાવવા કટિબદ્ધ છે…

January 2, 2021

આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી – ૨૦૨૧ અંતર્ગત ભાજપા ગુજરાત પ્રદેશના આયોજન અને માર્ગદર્શન પ્રમાણે જલાલપોર તાલુકાના આટ તાલુકા પંચાયત શક્તિકેન્દ્ર

નવસારી જિલ્લા સરપંચ એસોસિએશન દ્વારા નવસારી જિલ્લાના વિવિધ તાલુકાના સરપંચોની ટીમ વચ્ચે સરપોરના ક્રિકેટ મેદાન પર ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. જેમાં વાંસદા, ગણદેવી, જલાલપોર અને નવસારી ની ટીમો એ ભાગ લીધો હતો. જિલ્લાના તમામ તાલુકામાંથી એક ટીમ જેમાં ખેલાડી તરીકે ફક્ત સરપંચ જ હોઈ એવી કદાચ આ પ્રથમ ટુર્નામેન્ટ હશે. સરપંચ એસોસિએશનના પ્રમુખ અને સરપોરના સરપંચ શ્રી ભરતભાઈ પટેલને વિશેષ આયોજન માટે અભિનંદન…🌷🌷🌷 હંમેશા લોકો વચ્ચે રહી સામાજિક જવાબદારી વહન કરતા દરેક સરપંચો આજે કેન્દ્ર સરકારની #FitIndiaMovement ના પ્રચારક થશે….

January 1, 2021

નવસારી જિલ્લા સરપંચ એસોસિએશન દ્વારા નવસારી જિલ્લાના વિવિધ તાલુકાના સરપંચોની ટીમ વચ્ચે સરપોરના ક્રિકેટ મેદાન પર ટુર્નામેન્ટનું આયોજન થયું હતું.

દેશના વડાપ્રધાન મા. શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની આગેવાનીમાં કાર્યરત કેન્દ્ર સરકાર દ્વારા ‘કિસાન કલ્યાણ કાર્યક્રમ’ હેઠળ દેશ સમસ્તના ૦૯ કરોડ ખેડૂતના ખાતામાં કિસાન સન્માન નિધિના ૧૮૦૦૦ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરાવવાના કાર્યક્રમમાં જલાલપોર તાલુકાના અબ્રામા ગામ ખાતે અબ્રામા ખેડૂત સહકારી મંડળી દ્વારા આયોજિત ખેડૂત સભામાં ઉપસ્થિત રહ્યો. મા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી એ વિડિઓ કોંફરન્સના માધ્યમથી દેશના ખેડૂતોને સંબોધિત કર્યા હતા… પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કૃષિ સુધારા બિલ – ૨૦૨૦ અંગે વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવતા જુઠ્ઠાણાની વાત કરી ખેડૂતોને સાચી સમજણ અને માહિતી આપી હતી… મુખ્યમંત્રી મા. શ્રી વિજયભાઈ રૂપાણીજીએ કૃષિ ક્ષેત્રે ગુજરાત સરકાર દ્વારા લીધેલ ખેડૂત સુખકારીના પગલાં અંગે વિસ્તૃત માહિતી આપી હતી…

December 25, 2020

દેશના વડાપ્રધાન મા. શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની આગેવાનીમાં કાર્યરત કેન્દ્ર સરકાર દ્વારા ‘કિસાન કલ્યાણ કાર્યક્રમ’ હેઠળ દેશ સમસ્તના ૦૯ કરોડ ખેડૂતના

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી – ૨૦૨૧ અંતર્ગત નવસારી જિલ્લાના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે પ્રદેશ ભાજપા દ્વારા નિયુક્ત રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર અને શ્રી બાબુભાઇ જીરાવાલા તેમજ નવસારી જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહની ઉપસ્થિતીમાં જલાલપોર તાલુકા સંગઠનની બેઠક મળી… આ બેઠકમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટેના આયોજન તેમજ પ્રચાર – પ્રસાર અંગે માર્ગદર્શન અને ચૂંટણીલક્ષી વિસ્તૃત ચર્ચા – વિચારણા કરવામાં આવી…

December 25, 2020

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી – ૨૦૨૧ અંતર્ગત નવસારી જિલ્લાના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે પ્રદેશ ભાજપા દ્વારા નિયુક્ત રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને

પૂર્વ પ્રધાનમંત્રી, ભારતરત્ન, આપણા સૌના પ્રેરણાસ્ત્રોત, શ્રધ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજી ની જન્મજયંતિ પ્રસંગે ભાજપા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને નવસારી લોકસભાના સાંસદ શ્રી સી. આર. પાટીલજીની વિશેષ ઉપસ્થિતીમાં ‘શ્રી કમલમ’ ભાજપા જિલ્લા કાર્યાલય, નવસારી ખાતે પુષ્પાજંલી અર્પણ કરી… સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા અધ્યક્ષ શ્રી ભૂરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રી પીયૂષભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા સંગઠનના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

December 25, 2020

પૂર્વ પ્રધાનમંત્રી, ભારતરત્ન, આપણા સૌના પ્રેરણાસ્ત્રોત, શ્રધ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજી ની જન્મજયંતિ પ્રસંગે ભાજપા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને નવસારી