સમાચાર

જલાલપોર મતવિભાગમાં સમાવિષ્ટ નવસારી તાલુકાના અરસાણ ગામે મનરેગા યોજના અંતર્ગત ગ્રામ પંચાયતના નવીન મકાનનું ખાતમુર્હુત કર્યું…

August 4, 2022

જલાલપોર મતવિભાગમાં સમાવિષ્ટ નવસારી તાલુકાના અરસાણ ગામે મનરેગા યોજના અંતર્ગત ગ્રામ પંચાયતના નવીન મકાનનું ખાતમુર્હુત કર્યું…  

નવસારી તાલુકામાં સમાવિષ્ટ ૧૭૪ જલાલપોર વિધાનસભાની સિસોદરા (ગણેશ) જિલ્લા પંચાયત સીટની કાર્યકર્તા પરિચય બેઠક રામજી મંદિર સિસોદરા ખાતે ગુજરાત પ્રદેશ ભા.જ.પા. દ્વારા નિયુકત ૧૭૪ જલાલપોર વિધાનસભા ના પ્રભારી શ્રી યશોધરભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતમાં મળી… આ બેઠકમાં જિલ્લા પંચાયત સીટમાં આવતા જિલ્લા તેમજ તાલુકા સંગઠનના હોદેદારો,કારોબારી સભ્યો, બુથના વાલી, પ્રમુખ, બી.એલ.એ- ૨, ચુંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચશ્રીઓ, તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા…

August 3, 2022

નવસારી તાલુકામાં સમાવિષ્ટ ૧૭૪ જલાલપોર વિધાનસભાની સિસોદરા (ગણેશ) જિલ્લા પંચાયત સીટની કાર્યકર્તા પરિચય બેઠક રામજી મંદિર સિસોદરા ખાતે ગુજરાત પ્રદેશ

આજરોજ અબ્રામા ગામ ખાતે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના #MaanKiBaat કાર્યક્રમ હોદેદારો, કાર્યકર્તાઓ અને ગ્રામજનો સાથે સાંભળ્યો… #MaanKiBaat કાર્યક્રમ પછી ટીફીન બેઠક કરી…

July 31, 2022

આજરોજ અબ્રામા ગામ ખાતે આદરણીય પ્રધાનમંત્રી  શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના #MaanKiBaat કાર્યક્રમ હોદેદારો, કાર્યકર્તાઓ અને  ગ્રામજનો સાથે સાંભળ્યો… #MaanKiBaat  કાર્યક્રમ પછી ટીફીન બેઠક

“વૃક્ષારોપણ કરીએ, પર્યાવરણ હરિયાળું બનાવીએ” વેડછાગામ ખાતે ગ્રામ પંચાયત વેડછા દ્વારા વૃક્ષારોપણ કરવાનું આયોજન કરવામાં આવ્યું જેમાં હાજર રહી વૃક્ષારોપણ કર્યું તથા અન્યોને પણ વૃક્ષારોપણ કરવા અંગે પ્રેરિત કર્યા… વર્તમાન સમયમાં વાતાવરણમાં પ્રદુષણની માત્રામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતી સર્જાતાં હાલમાં ચિંતાનો વિષય બન્યો છે. આવા સંજોગોમાં દરેક વ્યક્તિએ પર્યાવરણની જાળવણી કરવા માટે પ્રયાસ કરવો ખુબજ અનિવાર્ય બની ગયું છે. વૃક્ષોનું રોપણ કરવું તેમજ વૃક્ષારોપણ બાદ તે વૃક્ષોનું યોગ્ય રીતે ઉછેર થાય તે જરૂરી છે… #વૃક્ષારોપણ

July 31, 2022

“વૃક્ષારોપણ કરીએ, પર્યાવરણ હરિયાળું બનાવીએ”   વેડછાગામ  ખાતે ગ્રામ પંચાયત વેડછા દ્વારા વૃક્ષારોપણ કરવાનું આયોજન કરવામાં આવ્યું જેમાં હાજર રહી

ગુજરાત પોલીસ દ્વારા સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપના માધ્યમથી વાહન ચોરી તથા મોબાઇલ ચોરીની ઓનલાઇન e-FIR નું લોન્ચિંગ કેન્દ્રીય ગૃહ તથા સહકારીતા મંત્રી શ્રી અમીતભાઈ શાહ જી દ્વારા ૨૩ જુલાઈ ૨૦૨૨ ના રોજ થયું હતું… નવસારી જિલ્લા પોલીસ દ્વારા આ એપ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન રેન્જ આઇજી શ્રી રાજકુમાર પાંડિયનજી ની વિશેષ ઉપસ્થિતિમાં થયું હતું જેમાં ઉપસ્થિત રહ્યો… પ્રધાનમંત્રી માન. શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમને વેગ મળશે તેમજ પ્રજાજનોને સુવિધા મળશે. વાહન ચોરી અથવા મોબાઈલ ફોન ચોરી જેવી ફરિયાદ માટે આ e-FIR સેવા નિશ્ચિતપણે સહાયક સિદ્ધ થશે…

July 29, 2022

ગુજરાત પોલીસ દ્વારા સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપના માધ્યમથી વાહન ચોરી તથા મોબાઇલ ચોરીની ઓનલાઇન e-FIR નું લોન્ચિંગ કેન્દ્રીય ગૃહ

કોંગ્રેસ સાંસદ શ્રી અધીર રંજન ચૌધરી દ્વારા દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી માટે પ્રયોગ કરવામાં આવેલ અપમાનજનક શબ્દોના વિરોધમાં જલાલપોર મંડળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જેમાં ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શિત કર્યો… કોંગ્રેસના સાંસદ શ્રી અધીર રંજન ચૌધરીએ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી માટે જે શબ્દપ્રયોગ કર્યો તે અશોભનીય અને રાષ્ટ્રપતિપદની ગરિમાને લાંછન લગાડનારો છે. રાષ્ટ્રપતિશ્રીના સંવૈધાનિક પદ, આદિવાસી સમુદાય અને મહિલાઓના અપમાન બદલ કોંગ્રેસ દેશની જનતાની માફી માંગે…

July 29, 2022

કોંગ્રેસ સાંસદ શ્રી અધીર રંજન ચૌધરી દ્વારા દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી માટે પ્રયોગ કરવામાં આવેલ અપમાનજનક શબ્દોના વિરોધમાં

વિદ્યુતક્ષેત્રની વિવિધ સિદ્ધિઓને જન-જન સુધી પહોંચાડવા માટે ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય’ પાવર @2047 વિષયક જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં હાજરી આપી… લાભાર્થીઓને ઘર વપરાશના વીજ જોડાણો વિના મૂલ્યે આપવામાં આવ્યાં. વિદ્યુતક્ષેત્રની વિવિધ રાજ્યોની પ્રગતિને દર્શાવતી ટૂંકી ફિલ્મો બતાવી અને લોકોને વીજળી બચાવવા અંગે માહીતગાર કરવામાં આવ્યા હતા… નવસારી જિલ્લામાં આવેલ પુર જેવા કપરા સંજોગોમાં પણ DGVCLના વિજ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી સાહસિક કામગીરીને બિરદાવું છું…

July 27, 2022

વિદ્યુતક્ષેત્રની વિવિધ સિદ્ધિઓને જન-જન સુધી પહોંચાડવા માટે ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘ઉજ્જવલ