સમાચાર

દેશના પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઇ મોદી ના ૭૦માં જન્મદિનના ઉપલક્ષ માં ‘#સેવા_સપ્તાહ’ ની ઉજવણી ના આજે ભા. જ. પા. જલાલપોર તાલુકા, જિ. : નવસારી આયોજિત ‘સ્વચ્છતા અભિયાન’ અને ‘સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્તિ’ જાગૃતિ અભિયાનમાં ઐતિહાસિક ગામ દાંડી ખાતે દરિયા કિનારાની સફાઈ માટે કાર્યકર્તા સાથે જોડાયો. આજના આ અભિયાનમાં મોટી સંખ્યામાં સરપંચો, ગ્રામજનો અને કાર્યકર્તાઓએ ભાગ લીધો અને સૌએ સ્વચ્છતા અને ‘સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્તિ’ માટે લોકોને જાગૃત કરવા સંકલ્પ લીધો. #ટીમ_જલાલપોર ને સફળ કાર્યક્રમ માટે અભિનંદન…🌷🌷🌷

September 16, 2020

દેશના પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઇ મોદી ના ૭૦માં જન્મદિનના ઉપલક્ષ માં ‘#સેવા_સપ્તાહ’ ની ઉજવણી ના આજે ભા. જ. પા. જલાલપોર

દેશના વડાપ્રધાન મા. શ્રી નરેન્દ્રભાઇ મોદીજી નો તારીખ : ૧૭ સપ્ટેમ્બર ના રોજ ૭૦મો જન્મદિવસ છે. ભારતીય જનતા પાર્ટી – ગુજરાત પ્રદેશ મોદીજીના જન્મદિવસ ને અનુલક્ષીને ‘સેવા સપ્તાહ’ ની ઉજવણી કરી રહ્યું છે જે અંતર્ગત યુવા મોરચો ભા. જ. પા. – નવસારી જિલ્લા દ્વારા આજે રક્તદાન શિબિરનું આયોજન રેડક્રોસ – નવસારીના સહયોગથી કર્યું હતું ‘સેવા સપ્તાહ’ ના શુભારંભમાં ઉપસ્થિત રહી યુવાનોને પ્રોત્સાહિત કર્યા. આજે શિબિરમાં કુલ : ૮૦ યુનિટ રક્ત એકત્રિત થયું. યુવા મોરચાના કાર્યકર્તાઓ આવી સામાજિક જવાબદારી સ્વીકારતા થાય એ અનુકરણીય છે. સૌ રક્તદાતા અને શિબિરના આયોજન બદલ યુવા મોરચાના તમામ કાર્યકર્તા ને સહર્ષ અભિનંદન…🌷🌷🌷

September 14, 2020

દેશના વડાપ્રધાન મા. શ્રી નરેન્દ્રભાઇ મોદીજી નો તારીખ : ૧૭ સપ્ટેમ્બર ના રોજ ૭૦મો જન્મદિવસ છે. ભારતીય જનતા પાર્ટી –

આજે શિક્ષક દિવસ ને અનુલક્ષીને નવસારી જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાએ એવોર્ડ વિજેતા અને વિશિષ્ટ કામગીરી કરેલ શિક્ષકોને ભક્તાશ્રમ સ્કૂલ – નવસારી ખાતે ગુજરાત રાજય શિક્ષણ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર નવસારી નાં સંયુકત ઉપક્રમે આયોજીત કાર્યક્રમમાં સન્માનિત કર્યા. સન્માન મેળવનાર તમામ શિક્ષકમિત્રોને તેમણે શિક્ષણક્ષેત્રે આપેલ યોગદાન બદલ અભિનંદન🌺🌺🌺 જેમને યાદ કરીને આપણે શિક્ષક દિવસની ઉજવણી કરીએ છે એવા #ભારતરત્ન, શિક્ષણવિદ તેમજ રાષ્ટ્રપતિ ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીને જન્મજયંતિ એ સહૃદય વંદન…🙏

September 5, 2020

આજે શિક્ષક દિવસ ને અનુલક્ષીને નવસારી જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાએ એવોર્ડ વિજેતા અને વિશિષ્ટ કામગીરી કરેલ શિક્ષકોને ભક્તાશ્રમ સ્કૂલ

હિન્દુ સંસ્કૃતિ અને ભારતવર્ષ માટે આજે ઐતિહાસિક દિવસ અવધપુરી (અયોધ્યા) ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના હસ્તે ભૂમિપૂજન સંપન્ન થયું. ૫૦૦ વર્ષનો અથાગ સંઘર્ષ અને અનેકો રામભકતોના બલિદાન બાદ આજે કરોડો હિન્દુસ્તાનીઓનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. ભૂમિપૂજનને ટેલીવિઝન પર કાર્યકર્તાઓ સાથે જિલ્લા કાર્યાલય પર ઉપસ્થિત રહી ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા.. ભગવાન શ્રી રામને પુષ્પઅર્પણ કરી મંદિર નિર્માણમાં યથાયોગ્ય સહયોગ કરવા સંકલ્પ કર્યો… || 🚩🚩 જય શ્રી રામ 🚩🚩 || ભારત માતા કી જય

August 5, 2020

હિન્દુ સંસ્કૃતિ અને ભારતવર્ષ માટે આજે ઐતિહાસિક દિવસ અવધપુરી  (અયોધ્યા) ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઇ

માર્ગ અને મકાન વિભાગ – ગુજરાત રાજ્ય દ્વારા જલાલપોર મત વિભાગના ૧૧.૧૦ કરોડના ખર્ચ સાથે ત્રણ માર્ગોના મજબૂતીકરણના કામનું ઇ – ભૂમિપૂજન રાજ્યના નાયબ મુખ્યમંત્રી મા. શ્રી નીતિનભાઈ પટેલના હસ્તે થયું. ઇ – ભૂમિપૂજનમાં કોળી સમાજ ટ્રસ્ટ ભવન – મરોલી ખાતે જિલ્લા પંચાયત – નવસારીના પ્રમુખ શ્રીમતી અમીતાબેન પટેલ, જિલ્લા પંચાયત – નવસારીના માજી પ્રમુખ શ્રી દિનેશભાઇ પટેલ, જિલ્લા ભાજપા મહામંત્રી શ્રી ભૂરાલાલ શાહ, જિલ્લા ભાજપા ઉપપ્રમુખ શ્રી વસંતભાઈ દેસાઈ, જલાલપોર તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી ધીરુભાઈ પટેલ તેમજ વિભાગના અગ્રણીઓ સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ત્રણ માર્ગોમાં ક્સ્બા – છીણમ – દેલવાડા – માંગરોળ – ભિનાર રોડના માટે રૂ. ૯.૫૦ કરોડ, ભાઠા એપ્રોચ રોડ માટે રૂ. ૮૦.૦૦ લાખ તેમજ આસણા – કાલાકાછા રોડ માટે ૮૦.૦૦ લાખના ખર્ચ થી માર્ગનું મજબૂતીકરણ / નવીનીકરણ થશે. ગ્રામીણ માર્ગોનું નવીનીકરણ થવાથી મરોલી વિભાગના લોકોની મુસાફરી અને જિલ્લા મથક સાથેની કનેક્ટિવિટી સરળ અને ઝડપી બનશે. નોવેલ કોરોના વાયરસ(COVID – 19) મહામારી વચ્ચે પણ ગુજરાતના વિકાસ રથને અવિરત આગળ લઈ જવા બદલ ગુજરાત સરકાર અને મા. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબનો અંતઃકરણથી આભાર…

July 16, 2020

માર્ગ અને મકાન વિભાગ – ગુજરાત રાજ્ય દ્વારા જલાલપોર મત વિભાગના ૧૧.૧૦ કરોડના ખર્ચ સાથે ત્રણ માર્ગોના મજબૂતીકરણના કામનું ઇ

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય અંતર્ગત વિકસતી જાતિ ની કન્યાઓ માટે આદર્શ નિવાસી શાળા નું આજે જલાલપોર તાલુકાના ખંભલાવ (આટ) ખાતે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીના હસ્તે ઇ – લોકાર્પણ કર્યું. ઇ – લોકાર્પણના કાર્યક્રમમાં રાજ્યના સમાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર તથા રાજ્ય મંત્રી શ્રી વાસણભાઇ આહીર પણ ઉપસ્થિત રહ્યા હતા. નવનિર્મિત આદર્શ નિવાસી કન્યા શાળા ના લોકાર્પણ પ્રસંગે ખંભલાવ (આટ) ખાતે નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલજી, જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી અમિતાબેન પટેલ, નવસારીના ધારાસભ્ય શ્રી પીયૂષભાઈ દેસાઈ, જિલ્લા ભાજપા પ્રમુખ અને ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, નવસારી જિલ્લા કલેકટર શ્રીમતી આદ્રા અગ્રવાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. ગીરીશભાઈ પંડ્યા જિલ્લા તથા તાલુકા પંચાયતના ચુંટાયેલા હોદેદારો, સદસ્યો તેમજ વિભાગના અગ્રણીઓ સવિશેષ હાજર રહ્યા હતા. દીકરીઓ માટે ની આ આદર્શ નિવાસી શાળાના માધ્યમથી બક્ષીપંચ સમાજની દીકરીઓ શ્રેષ્ઠ તાલીમ મેળવે એવી અભ્યર્થના સહ ગુજરાત સરકારનો સમસ્ત જલાલપોર મતવિભાગ વતી આભાર…

July 13, 2020

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય અંતર્ગત વિકસતી જાતિ ની કન્યાઓ માટે આદર્શ નિવાસી શાળા નું આજે જલાલપોર તાલુકાના

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારની બીજી ટર્મનું પ્રથમ વર્ષ ની ઉજવણીના ભાગરૂપે આજે જલાલપોર મતવિભાગમાં સિસ્કો વેબેક્ષ એપ પર વિડિયો કોન્ફરન્સ રેલીનું આયોજન થયું. આજની આ રેલીમાં જિલ્લા પંચાયત નવસારી ના પ્રમુખ શ્રીમતિ અમીતાબેન પટેલ, જિલ્લા સંગઠન પ્રભારી શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, જિલ્લા સંગઠન મહામંત્રી શ્રી ભુરાભાઇ શાહ, જયેશભાઇ નાયક, જિલ્લા સંગઠન ઉપ્રમુખ શ્રી વસંતભાઇ દેસાઇ અને અશોકભાઇ ગજેરા, વિધાનસભામાં આવતા મંડળના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, આગેવાન કાર્યકર્તાઓ, કોર્પોરેટરશ્રીઓ, જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ધીરૂભાઇ પટેલ, જલાલપોર તાલુકા સંગઠન પ્રમુખ શ્રી રણધીરભાઇ પટેલ, વિજલપોર શહેર સંગઠન પ્રમુખ શ્રી મુકેશભાઇ કાનગુડે તથા ચૂંટાયેલા સભ્યો અને સરપંચશ્રીઓ મળી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

June 27, 2020

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારની બીજી ટર્મનું પ્રથમ વર્ષ ની ઉજવણીના ભાગરૂપે આજે  જલાલપોર મતવિભાગમાં  સિસ્કો