કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના ‘આત્મનિર્ભર ભારત’ પેકેજ અંતર્ગત ‘સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના’ ના નવસારી – જલાલપોર અને ગણદેવી તાલુકાના ફળ / શાકભાજી વેચાણકારો, નાના / સીમાંત ખેડૂતો તેમજ ખેત મજૂરોને વિના મૂલ્યે છત્રી, સ્માર્ટ હેન્ડ ટૂલ તેમજ કંટાળી વાડ (ફેન્સિંગ) ના મંજૂરીપત્રો વિતરણ કરવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હુકમો લાભાર્થીઓને અર્પણ કર્યા.
દેશના પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના ‘સશક્ત ભારત, આત્મનિર્ભર ભારત’ સંકલ્પનાને વેગ આપતી તેમજ સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીના ‘સમર્થ ગુજરાત’ ને સાકાર કરતી આવી અનેકો યોજના હાલ અમલમાં છે જેનો સીધો લાભ દેશના હજારો લાભાર્થી લઈ રહ્યા છે.
સરકારશ્રી દ્વારા અપાતા આવા વ્યવસાયમાં ઉપયોગી સાધનો ચોક્કસ જ તેમને વધુ આવક મેળવવા અને આત્મનિર્ભર બનવામાં મદદરૂપ થશે એવી અભ્યર્થના….🌷🌷🌷






















