‘નિસર્ગ વાવાઝોડું’ દક્ષિણ ગુજરાત તથા મહારાષ્ટ્રના દરિયા કાંઠાના ગામો પર ત્રાટકવાની ભીતિ ને લઈ ને મારા મત વિભાગના જલાલપોર તાલુકાના દાંતી, ઉભરાટ, વાંસી, બોરસી, માછીવાડ ગામોની નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક ડો. ગીરીશભાઈ પંડ્યાજી, પ્રાંત અધિકારી શ્રી તુષારભાઈ જાની તેમજ જલાલપોર તાલુકા વિકાસ અધિકારી શ્રી વાઘેલા જોડે રૂબરૂ મુલાકાત કરી.
રૂબરૂ મુલાકાત દરમિયાન ગામના સરપંચશ્રી, તલાટી કમ મંત્રીશ્રી તથા ગામ આગેવાનોને મળી વાવાઝોડા અંતર્ગત ગામ દ્વારા લેવાયેલ સાવચેતી ના પગલાં અને પૂર્વ તૈયારીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચના આપી.








