નોવેલ કોરોના વાયરસ (COVID – 19) રોગ સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા તેમજ ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા નિર્દેશિત હોમીયોપેથીક શક્તિવર્ધક આર્સેનિક આલ્બમ’ દવા મારા મતવિભાગમાં સમાવિષ્ટ નવસારી તાલુકાના તરસાડી, સુપા, પેરા, સરોણા, પિનસાડ, તેલાડા, આમડપોર અને આમરી ગામના ૧૩૮૦૦ લોકો માટે વિતરિત કરી.
લોક પ્રતીનિધી તરીકે મતવિભાગના છેવાડાના માનવીની આરોગ્ય સંબધિત ચિંતા કરી મહામારી ના આ સમયમાં તેઓની વચ્ચે રહી તેમની સુખાકારી આ પ્રયત્નો ખરેખર સંતોષ આપે છે.
કોરોના વાયરસ (COVID માટેના – 19) મહામારી સામે જનજાગૃતિ આવે અને સામુહિક સાવચેતી અને ઉપાય સાથે કોરોના સામેની લડાઈમાં આપણે વિજયી થયે એવા પ્રયત્ન જન જન કરે એ જરૂરી છે.














