નોવેલ કોરોના વાયરસ (COVID – 19) ના સંક્રમણ સામે તકેદારી માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નવસારી (APMC) દ્વારા આજરોજ પબ્લીક સેનેટાઇઝર યુનિટ ને ખુલ્લુ મુક્યુ. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નવસારી (APMC) ખાતે આવતા ખેડુતો, વેપારીઓ અને નાના નાના છુટક શાકભાજી વિક્રેતાઓ નોવેલ કોરોના વાયરસ (COVID – 19) થી સંક્રમિત ન થાય તેની તકેદારી રૂપે આ યુનિટ ચોક્ક્સ ઉપયોગી બનશે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નવસારી (APMC) ખાતે આવતા વેપારીઓ તથા વિક્રેતાઓ માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નવસારી (APMC) દ્વારા ઉભી કરાયેલ આ વ્યવસ્થા સરાહનીય છે.







