નોવેલ કોરોના વાયરસ (COVID – 19) ના સંક્રમણ સામે તકેદારી, નિયંત્રણ તેમજ આવનાર ૨૧ દિવસ સુધી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉન માટે જલાલપોર મતવિભાગમાં સમાવિષ્ટ ઓંજલ, માછીવાડ, બોરીફળિયા, માદરીયા, સુલતાનપુર, એથાણ અને આટ ગામોની નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક ડો. ગીરીશભાઈ પંડ્યાજી તથા જલાલપોર પોલીસ મથક ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ. આર વાળા સાથે રૂબરૂ મુલાકાતે જઇ ગામના સરપંચશ્રી, ઉપ-સરપંચશ્રી તથા ગામના અગ્રણી કાર્યકર્તાઓને જાગૃત કરી સાચી સમજણ અને સ્થળ નિરીક્ષણ કરી જીવન જરૂરિયાત માટેની વસ્તુ અંગે ચર્ચા કરી.
ઘરે રહો સુરક્ષીત રહો અને કોરોના સામે લડતમાં દેશ ને સાથ આપો.















