નવસારી જિલ્લાનો સુજલામ્ સુફલામ્ જળ સંચય – ૨૦૧૮ અભિયાનનો સમાપન સમારોહ ગણદેવી તાલુકાના ધકવાડા ખાતે વિશાળ માનવ મહેરામણ, સંતો-મહંતોની ઉપસ્થિતિમાં સર્વધર્મ સદભાવ સાથે યોજાયો હતો. જેમાં માઁ નર્મદાના પવિત્ર જળનું શાષોકત વિધી અનુસાર પુજન કરીને, ધકવાડા ગામના તળાવમાં જલાભિષેક કરાયો હતો. ઉપસ્થિત જનમેદનીએ માઁ નર્મદાના જળનો જય જયકાર કરીને વધામણાં કર્યા હતા…
