નવસારી સરકીટ હાઉસ ખાતે દમણ ગંગા સિંચાઇ વિભાગના અધિક ઇજનેરશ્રી રાવ, પાણી પુરવઠા વિભાગના અધિક ઇજનેરશ્રી આર.એલ.પટેલ (અ.ઇ.શ્રી વર્તુળ કચેરી વલસાડ), નવસારી અને વલસાડ પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રીઓ, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, અને અંબિકા સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી તથા હિમાદરી એન્વાર્યરો કન્સલ્ટનશ્રી દેવાંગ શાહ વગેરે ની ઉપસ્થિતીમાં નવસારી – વલસાડ જિલ્લાના ભૂગર્ભ જળની પરિસ્થિતિની ગુણવતા સુધારવા માટે કાયમી સ્ત્રોત તરીકે દમણ ગંગા આધારીત મધુબન ડેમથી પાણી લાવવા માટેની મીટીંગ મળી હતી..
