રાજ્ય સરકારશ્રીના નેતૃત્વ હેઠળ માન. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તથા માન.મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી ની પેરક ઉપસ્થિતિમાં તા. ૧૦/૦૨/૨૦૨૪ ના રોજ કેન્દ્ર તથા રાજ્યસરકારશ્રીની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ અને શહેરી), હળપતિ આવાસ યોજના, ડો. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનાઓના આવાસોનું બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે થી ઇ- લોકાર્પણ તથા ખાતમુર્હુતનો કાર્યક્રમ યોજાનાર છે(જલાલપોર વિધાનસભા નો કાર્યક્રમ, એગ્રીકલ્ચર કોલેજ એરૂ, નવસારી ખાતે રાખેલ છે). જેના આયોજન માટે આજરોજ જલાલપોર તાલુકાના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, સભ્યોશ્રીઓ તથા જુદા જુદા ગામોના સરપંચોશ્રીઓ તેમજ આગેવાનો સાથે વિસ્તૃત આયોજન બેઠકમાં ઉપસ્થિત રહી જરૂરી સૂચનો કર્યા…