“સ્વચ્છતા ત્યાં પ્રભુતા”
અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.૨૨મી જાન્યુઆરીના રોજ યોજાવાનો છે, જેના સંદર્ભે માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબે દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતાનું અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે…
જે અંતર્ગત, આજરોજ આટ ગામના રામજી મંદિરે દર્શન કરીને મંદિર પરિસરના સફાઈ કાર્યમાં સહભાગી થવાનો અવસર મળ્યો…
આપ સૌ ધાર્મિક સ્થાનોની સ્વચ્છતાના આ અભિયાનમાં જરૂર જોડાવ તેવો ભાવભર્યો અનુરોધ કરું છું…
જય શ્રી રામ