વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ
14 ઑગસ્ટ, 1947ના રોજ થયેલાં વિભાજનમાં હિંસાનો ભોગ બનનાર અને વિસ્થાપનનું દર્દ ભોગવનાર લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ભાગરૂપે આજરોજ ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા કાર્યાલય ખાતે આયોજિત પ્રદર્શનીના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહ્યો..
આ કાર્યક્રમમાં જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, ગુજરાત પ્રદેશ મંત્રી શ્રીમતી શિતલબેન સોની, ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલ, ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઇ, નવસારી વિજલપોર નગરપાલિકા પ્રમુખ શ્રી જીગીશભાઈ શાહ, સંગઠનના હોદેદારો,અન્ય મહાનુભાવો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા…