ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આયોજિત જન સંપર્ક અભિયાન અંતર્ગત સંપર્ક સે સમર્થન કાર્યક્રમ અન્વયે નવસારી તાલુકાના ધામણ ગામે ખેડૂત અને સહકારી આગેવાન શ્રી સન્મુખભાઈ પટેલના નિવાસસ્થાને જનસંપર્ક કરી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં #9YearsOfSeva ના આદર્શ સાથે થયેલા વિવિધ વિકાસકાર્યો ની ચર્ચા કરી તેમજ અનેક યોજનાની માહિતી આપી સાથે એમના અનુભવોને પણ જાણ્યા…
આ પ્રસંગે નવસારી જિલ્લા સંગઠન ઉપાધ્યક્ષ જીગરભાઈ, શ્રીમતી તૃષાબેન, જલાલપોર તાલુકા કાર્યકારી મંડળ પ્રમુખ અશોકભાઇ, નવસારી તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પ્રકાશભાઇ, જલાલપોર તાલુકા કારોબારી અધ્યક્ષ રણધીરભાઈ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા…