જલાલપોર તાલુકામાં ગુજરાત ગૌરવ યાત્રા લઇને પધારેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીજી તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી દ્વારા ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત સભાને પણ સંબોધી હતી, જેમાં રાજ્ય સરકારના મંત્રીઓ,પ્રદેશ સંગઠનના મંત્રીઓ,સાંસદશ્રી તેમજ સ્થાનિક ધારાસભયશ્રીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ ભાગ લીધો હતો…
