નવસારી જિલ્લાના દાંડી ગામના સ્વતંત્રતાસેનાની અને સમગ્ર કાંઠાવિભાગના ઘરેણાં સમાં ગૌરવશાળી આદર્શ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ વિદ્વાન રાષ્ટ્રપતિ ડૉ.રાધાકૃષ્ણનને હસ્તે મેળવનાર, રેડીઓ પર સુંદર ભજનો ગાનારા ભજનિક અને શિક્ષણ સંસ્થાઓમાં નમ્રપણે બહુ મોટા દાતા શ્રી નરસિંહભાઈ નાનાભાઈ પટેલનું ન્યુઝીલેન્ડ ખાતે નિધન થયું છે એ સમાચાર થી દુઃખની લાગણી અનુભવું છું. પ્રભુ એમના દિવ્ય આત્માને મોક્ષ પ્રદાન કરે એવી પ્રાર્થના કરું છું…
આપે કરેલ દેશ સેવા માટે દેશ હંમેશા આપનો ઋણી રહેશે… 

ૐ શાંતિ 



