નવસારી – વિજલપોર નગરપાલિકા દ્વારા વિજલપોર શહેરને સ્વચ્છ પીવાનું પાણી મળી રહે તે માટે ૨૧ એમ. એલ. ડી. ક્ષમતાનો ફિલ્ટરેશન પ્લાન્ટ તેમજ નગરપાલિકા વિસ્તારમાં વિવિધ જગ્યાએ વોટર ATMનું નવસારીના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભા. જ. પા. અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબના હસ્તે સંપન્ન થયું…
આજના લોકાર્પણ કાર્યક્રમમાં ભા. જ. પા. નવસારી જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, સાથી ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ, નગરપાલિકા પ્રમુખ શ્રી જીગીશભાઈ શાહ, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, મંડળ હોદેદારો – કોર્પોરેટર તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નગરજનો ઉપસ્થિત રહ્યા હતા…