શ્રી નાનીદેવીમાં સેવા સમિતિ – ઓંજલ દ્વારા માતાજીના ૨૬ માં પાટોત્સવ પ્રસંગે રેડક્રોસ સોસાયટી નવસારીના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન ગામના યુવાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
કોરોના વાયરસ (COVID – 19) મહામારી મધ્યે જ્યારે આખી દુનિયા ત્રસ્ત છે ત્યારે ઓંજલ ગામના યુવાઓની આ સેવા પ્રવૃત્તિ સરાહનીય છે. આવા કપરા સમયમાં જ્યારે બ્લડ બૅકો ને પણ રક્તની અછત રહેતી હોય અને તેવા સમય ૬૨ યુનિટ રક્ત એકત્ર કરી આપવું સાચી સેવા છે.
રકતદાન શિબિરનું સફળ આયોજન બદલ સૌ કાર્યકર્તાઓને અભિનંદન સવિશેષ રક્તદાન, મહાદાન ને સાર્થક કરતા સૌ રક્તદાતાઓને દિલી શુભેચ્છા…